Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં કોર્ટ પણ બંધ રાખવામાં આવી હતી જેની કારમે હવે મોટા પ્રમાણમાં વકીલો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ દિલ્હીએ હવે પીએમ મોદીને પત્ર લખીને પીએમ કેયર ફંડમાથી વકીલો માટે 500 કરોડ રુપિયાની મદદ માંગી છે. પત્ર મુજબ દિલ્હી અને એનસીઆરમાં એક લાખથી વધુ વકીલો છે, જેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. 

બાર કાઉન્સિલ દિલ્હી દ્વારા પત્રમાં લખવામાં આવ્યુ છે કે મોટાભાગના વકીલો તેમની પ્રાથમિક જરુરિયાતો પૂરી કરવા માચે સક્ષમ રહ્યા નથી, જેનુ મુખ્ય કારણ કોરોના મહામારીને લીધે કોર્ટ બંધ રાખવાનુ હતું. આ સ્થિતિ ક્યાં સુધી ચાલે એની જાણ નથી અને વકીલો સતત સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, તેમની સ્થિતિ ચિંતાજનક છે. આર્થિક સહાય રુપે બાર કાઉન્સિલ ઓફ દિલ્હીએ 8 કરોડ રુપિયા વકીલોમાં વહેંચ્યા હતા, પરંતુ તે પૂરતા નથી. 

પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે બંધારણના અનુચ્છેદ 267મા કન્ટિજેન્સી ફંડની જોગવાઇ છે જેથી આપત્તિ સમયે તેનો ઉપયોગ કરી શકાય. બાર કાઉન્સિલે એ ફંડમાં 8 હજાર કરોડ રુપિયા હોવાનો દાવો પણ કર્યો છે. તેમણે પીએમ મોદી સમક્ષ માંગ કરી હતી કે પીએમ કેયર ફંડ કે કન્ટિજેન્સી ફંડમાંથી વકીલોને મદદ માટે 500 કરોડ રુપિયા આપવામાં આવે.

કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં કોર્ટ પણ બંધ રાખવામાં આવી હતી જેની કારમે હવે મોટા પ્રમાણમાં વકીલો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ દિલ્હીએ હવે પીએમ મોદીને પત્ર લખીને પીએમ કેયર ફંડમાથી વકીલો માટે 500 કરોડ રુપિયાની મદદ માંગી છે. પત્ર મુજબ દિલ્હી અને એનસીઆરમાં એક લાખથી વધુ વકીલો છે, જેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. 

બાર કાઉન્સિલ દિલ્હી દ્વારા પત્રમાં લખવામાં આવ્યુ છે કે મોટાભાગના વકીલો તેમની પ્રાથમિક જરુરિયાતો પૂરી કરવા માચે સક્ષમ રહ્યા નથી, જેનુ મુખ્ય કારણ કોરોના મહામારીને લીધે કોર્ટ બંધ રાખવાનુ હતું. આ સ્થિતિ ક્યાં સુધી ચાલે એની જાણ નથી અને વકીલો સતત સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, તેમની સ્થિતિ ચિંતાજનક છે. આર્થિક સહાય રુપે બાર કાઉન્સિલ ઓફ દિલ્હીએ 8 કરોડ રુપિયા વકીલોમાં વહેંચ્યા હતા, પરંતુ તે પૂરતા નથી. 

પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે બંધારણના અનુચ્છેદ 267મા કન્ટિજેન્સી ફંડની જોગવાઇ છે જેથી આપત્તિ સમયે તેનો ઉપયોગ કરી શકાય. બાર કાઉન્સિલે એ ફંડમાં 8 હજાર કરોડ રુપિયા હોવાનો દાવો પણ કર્યો છે. તેમણે પીએમ મોદી સમક્ષ માંગ કરી હતી કે પીએમ કેયર ફંડ કે કન્ટિજેન્સી ફંડમાંથી વકીલોને મદદ માટે 500 કરોડ રુપિયા આપવામાં આવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ