Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈ-ફાર્માસિસ્ટ દ્વારા દેશભરમાં થતાં દવાઓનાં ઓનલાઇન વેચાણ પર દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લાદી કેન્દ્ર અને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને ચુકાદાનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ જારી કર્યો હતો. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિ વી. કે. રાવે દિલ્હીસ્થિત ડર્મેટોલોજિસ્ટ ઝહીર એહમદની જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. ઝહીર એહમદે આરોપ મૂક્યો હતો કે, દેશમાં ઇન્ટરનેટનાં માધ્યમથી દરરોજ કોઈપણ પ્રકારનાં નિયંત્રણ વિના લાખો દવાઓનું વેચાણ થાય છે, જે દર્દીઓ અને ડોક્ટરો માટે અત્યંત જોખમી છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ અને ફાર્મસી એક્ટ ૧૯૪૮ અંતર્ગત આ રીતે ઓનલાઇન દવાનાં વેચાણની પરવાનગી આપવામાં આવી નથી. 
દવાઓનાં ઓનલાઇન વેચાણનાં ભયસ્થાન

૧. અન્ય સામાન્ય ચીજવસ્તુઓ કરતાં દવાઓ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેના વધારે પડતા અથવા તો દુરુપયોગથી માનવઆરોગ્યને હાનિ પહોંચી શકે છે.

૨. કેટલીક દવાઓ નશાને આમંત્રણ આપતી હોવાથી ફક્ત વ્યક્તિ જ નહીં પરંતુ સમગ્ર માનવજાત તેનો ભોગ બની શકે છે. આ પ્રકારની દવાના નશાની ટેવ માનવશરીરને નુકસાનકારક છે.

૩. મોટી સંખ્યામાં બાળકો, સગીરો અને ગ્રામીણો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ ઓનલાઇન દવાની ખરીદી દ્વારા ખોટી દવાનો ભોગ બની શકે છે.

૪. કેટલીક દવાઓ માનસિક અસર કરે તેવાં તત્ત્વો ધરાવતી હોય છે. ઇન્ટરનેટ પર તેને સહેલાઈથી ઓર્ડર કરી શકાય છે. આ પ્રકારની દવાઓ ગુનાઇત પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.
 

ઈ-ફાર્માસિસ્ટ દ્વારા દેશભરમાં થતાં દવાઓનાં ઓનલાઇન વેચાણ પર દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધ લાદી કેન્દ્ર અને દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને ચુકાદાનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ જારી કર્યો હતો. ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિ વી. કે. રાવે દિલ્હીસ્થિત ડર્મેટોલોજિસ્ટ ઝહીર એહમદની જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. ઝહીર એહમદે આરોપ મૂક્યો હતો કે, દેશમાં ઇન્ટરનેટનાં માધ્યમથી દરરોજ કોઈપણ પ્રકારનાં નિયંત્રણ વિના લાખો દવાઓનું વેચાણ થાય છે, જે દર્દીઓ અને ડોક્ટરો માટે અત્યંત જોખમી છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦ અને ફાર્મસી એક્ટ ૧૯૪૮ અંતર્ગત આ રીતે ઓનલાઇન દવાનાં વેચાણની પરવાનગી આપવામાં આવી નથી. 
દવાઓનાં ઓનલાઇન વેચાણનાં ભયસ્થાન

૧. અન્ય સામાન્ય ચીજવસ્તુઓ કરતાં દવાઓ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેના વધારે પડતા અથવા તો દુરુપયોગથી માનવઆરોગ્યને હાનિ પહોંચી શકે છે.

૨. કેટલીક દવાઓ નશાને આમંત્રણ આપતી હોવાથી ફક્ત વ્યક્તિ જ નહીં પરંતુ સમગ્ર માનવજાત તેનો ભોગ બની શકે છે. આ પ્રકારની દવાના નશાની ટેવ માનવશરીરને નુકસાનકારક છે.

૩. મોટી સંખ્યામાં બાળકો, સગીરો અને ગ્રામીણો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ ઓનલાઇન દવાની ખરીદી દ્વારા ખોટી દવાનો ભોગ બની શકે છે.

૪. કેટલીક દવાઓ માનસિક અસર કરે તેવાં તત્ત્વો ધરાવતી હોય છે. ઇન્ટરનેટ પર તેને સહેલાઈથી ઓર્ડર કરી શકાય છે. આ પ્રકારની દવાઓ ગુનાઇત પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ