ડિરેક્ટર અને એક્ટર નીરજ વોરાનું આજે વહેલી સવારે મુંબઈમાં નિધન થઈ ગયું છે. હેરાફેરી ફિલ્મના ડિરેક્ટર નીરજ વોરા બ્રેઈન સ્ટ્રોકના કારણે છેલ્લા ઘણાં સમયથી કોમામાં હતા અને આજે વહેલી સવારે તેમનું અવસાન થયું છે. નીરજ વોરા કોમામાં ગયા તે પહેલાં તેઓ હેરાફેરી-3 પર કામ કરી રહ્યા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકે એક્ટિંગ પણ કરી છે. તેમને હેરાફેરી, ખિલાડી 420 માટે અવોર્ડ પણ મળેલો છે. નીરજ વોરાએ 25 કરતા વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી પરંતુ તેમને ઓળખ આમીર ખાન સાથેની રંગીલા ફિલ્મથી મળી હતી.
ડિરેક્ટર અને એક્ટર નીરજ વોરાનું આજે વહેલી સવારે મુંબઈમાં નિધન થઈ ગયું છે. હેરાફેરી ફિલ્મના ડિરેક્ટર નીરજ વોરા બ્રેઈન સ્ટ્રોકના કારણે છેલ્લા ઘણાં સમયથી કોમામાં હતા અને આજે વહેલી સવારે તેમનું અવસાન થયું છે. નીરજ વોરા કોમામાં ગયા તે પહેલાં તેઓ હેરાફેરી-3 પર કામ કરી રહ્યા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં કોમેડિયન તરીકે એક્ટિંગ પણ કરી છે. તેમને હેરાફેરી, ખિલાડી 420 માટે અવોર્ડ પણ મળેલો છે. નીરજ વોરાએ 25 કરતા વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી પરંતુ તેમને ઓળખ આમીર ખાન સાથેની રંગીલા ફિલ્મથી મળી હતી.