હિંંદુ મેરેજ એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિક્રી અને ડિવોર્સ વિરુદ્ધ વિરોધીપક્ષ દ્વારા દાખલ કરાયેલી અપીલનો નિકાલ થયા પછી જ બીજા લગ્ન કરી શકાય, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ડિક્રી અથવા ડિવોર્સ વિરુદ્ધની અરજીની સુનાવણી પડતર હોય તે દરમિયાન કરાયેલાં બીજા લગ્ન રદ ગણાશે નહીં. જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વરરાવની બેન્ચે જણાવ્યું હતું કે, ડિવોર્સ વિરુદ્ધની અરજી પડતર હોય તે દરમિયાન ચોક્કસ સમયગાળા માટે અગાઉનાં લગ્નને કારણે બીજા લગ્નને રદ ગણી શકાય નહીં, તેથી તે સમયગાળામાં કરાયેલાં બીજા લગ્ન માન્ય ગણાય, કારણ કે પહેલા લગ્નના સંબંધો યથાવત્ હોતા નથી.
હિંંદુ મેરેજ એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિક્રી અને ડિવોર્સ વિરુદ્ધ વિરોધીપક્ષ દ્વારા દાખલ કરાયેલી અપીલનો નિકાલ થયા પછી જ બીજા લગ્ન કરી શકાય, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ડિક્રી અથવા ડિવોર્સ વિરુદ્ધની અરજીની સુનાવણી પડતર હોય તે દરમિયાન કરાયેલાં બીજા લગ્ન રદ ગણાશે નહીં. જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વરરાવની બેન્ચે જણાવ્યું હતું કે, ડિવોર્સ વિરુદ્ધની અરજી પડતર હોય તે દરમિયાન ચોક્કસ સમયગાળા માટે અગાઉનાં લગ્નને કારણે બીજા લગ્નને રદ ગણી શકાય નહીં, તેથી તે સમયગાળામાં કરાયેલાં બીજા લગ્ન માન્ય ગણાય, કારણ કે પહેલા લગ્નના સંબંધો યથાવત્ હોતા નથી.