એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) દ્વારા યશ બેંક લોન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં, ગુરૂવારે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (આરએએજીએ કંપનીઓ) સાથે સંકળાયેલા ૩૫થી વધુ સ્થળો અને ૫૦ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા રજીસ્ટર્ડ કરાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસીંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) સહિતની એજન્સીઓ દ્વારા શેર કરાયેલા ઈનપુટ્સ બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા.