એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પીએનબી મહાકૌભાંડના ભાગેડૂ નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું છે. શનિવાર સુધીમાં ઈડી દ્વારા દેશમાં દિલ્હી સહિતના વિવિધ ભાગોમાં આવેલી તેની 523 કરોડ કરતાં વધુની મિલ્કતોને સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સીઝ કરેલી સંપત્તિઓમાં તેના લક્ઝ્યુરિયસ પેન્ટહાઉસનો પણ સમાવેશ થાય છે. પીએનબી સાથે જ્વેલર નિરવ મોદીએ 11,400 કરોડનું ફ્રોડ કર્યું છે.