હોમ, ઓટો સહિતની લોન સસ્તી થવા અને ઈએમઆઈમાં ઘટાડાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તમામ ધારણાઓ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે આર્થિક સમીક્ષામાં રેપોરેટ ૬.૫ અને રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકા પર યથાવત્ રાખ્યા છે, જોકે આરબીઆઈએ લિક્વિડિટી આઉટફ્લો વધારવા માટે એસએલઆર(સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો)માં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે, તે ઉપરાંત સીઆરઆર(કેશ રિઝર્વ રેશિયો)માં પણ કોઈ બદલાવ કરાયો નથી. એસએલઆર અંતર્ગત બેન્કોએ ચોક્કસ રકમ આરબીઆઈ પાસે અનામત રાખવાની હોય છે. તેમાં ઘટાડો થતાં બેન્કોની લિક્વિડિટીમાં વધારો થશે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર ૭.૪ ટકા પર જ યથાવત્ રાખ્યો છે, તે ઉપરાંત બીજા છમાસિક ઓક્ટોબરથી માર્ચ સુધીમાં ફુગાવાનો દર ૨.૭થી ૩.૨ ટકા વચ્ચે રહેવાનો અંદાજ આપ્યો છે.
હોમ, ઓટો સહિતની લોન સસ્તી થવા અને ઈએમઆઈમાં ઘટાડાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તમામ ધારણાઓ વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે આર્થિક સમીક્ષામાં રેપોરેટ ૬.૫ અને રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકા પર યથાવત્ રાખ્યા છે, જોકે આરબીઆઈએ લિક્વિડિટી આઉટફ્લો વધારવા માટે એસએલઆર(સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો)માં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે, તે ઉપરાંત સીઆરઆર(કેશ રિઝર્વ રેશિયો)માં પણ કોઈ બદલાવ કરાયો નથી. એસએલઆર અંતર્ગત બેન્કોએ ચોક્કસ રકમ આરબીઆઈ પાસે અનામત રાખવાની હોય છે. તેમાં ઘટાડો થતાં બેન્કોની લિક્વિડિટીમાં વધારો થશે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર ૭.૪ ટકા પર જ યથાવત્ રાખ્યો છે, તે ઉપરાંત બીજા છમાસિક ઓક્ટોબરથી માર્ચ સુધીમાં ફુગાવાનો દર ૨.૭થી ૩.૨ ટકા વચ્ચે રહેવાનો અંદાજ આપ્યો છે.