દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સિનિયર મોસ્ટ નેતા અટલ બિહારી વાજપેયીને સોમવારે નવી દિલ્હીમાં એઈમ્સમાં દાખલ કરાયા હતા. તેમના હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા છે. સૂત્રો અનુસાર તેમને હજુ રજા અપાઈ નથી. રૂટિન ચેકઅપ પછી પણ તબિયત સુધારા પર હોવા છતાં રજા કેમ અપાઈ નથી તે પ્રશ્ન ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યો છે.