-
ભારતના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન, ભાજપના સ્થાપકો પૈકીના એક મુખ્ય સ્તંભ અને ભારતના રાજકારણમાં અજાત સત્રુ સમાન એવા અટલ બિહારી વાજપેયી નું આજે 16 ઓગસ્ટે લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે જઈને તેમની અંતિમ મુલાકાત અને દર્શન કર્યા હતા. છેલ્લા બે મહિનાથી તેમને એઇમ્સ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યાં હતાં. ગઇકાલે 15 ઓગસ્ટે જેમની તબિયત અત્યંત નાજૂક થતાં તેમને લાઇફ સ્પોટ સીસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં. 2004માં તેમની સરકાર લોકસભા ચૂંટણીમાં હારી ગયા પછી તેઓ સક્રિય રાજકારણમાંથી અલિપ્ત થઇ ગયા હતા. અને 2004થી 2018 સુધીના 14 વર્ષ દરમ્યાન તેઓ બિમારીને કારણે એક શબ્દ પણ બોલી શક્યા નથી. અને સમગ્ર દેશે પણ આ 14 વર્ષ દરમ્યાન તેમનો અવાજ સુધ્ધા સાંભળ્યો નથી. આમ 14 વર્ષના વનવાસ પછી તેઓ મહાપ્રયાણ કરી ગયા છે. પોતાની એક કવિતામાં હાર નહી માનુગા....કહેનાર અટલ આખરે મોત સામે હારી ગયા..
-
ભારતના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન, ભાજપના સ્થાપકો પૈકીના એક મુખ્ય સ્તંભ અને ભારતના રાજકારણમાં અજાત સત્રુ સમાન એવા અટલ બિહારી વાજપેયી નું આજે 16 ઓગસ્ટે લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે જઈને તેમની અંતિમ મુલાકાત અને દર્શન કર્યા હતા. છેલ્લા બે મહિનાથી તેમને એઇમ્સ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યાં હતાં. ગઇકાલે 15 ઓગસ્ટે જેમની તબિયત અત્યંત નાજૂક થતાં તેમને લાઇફ સ્પોટ સીસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં. 2004માં તેમની સરકાર લોકસભા ચૂંટણીમાં હારી ગયા પછી તેઓ સક્રિય રાજકારણમાંથી અલિપ્ત થઇ ગયા હતા. અને 2004થી 2018 સુધીના 14 વર્ષ દરમ્યાન તેઓ બિમારીને કારણે એક શબ્દ પણ બોલી શક્યા નથી. અને સમગ્ર દેશે પણ આ 14 વર્ષ દરમ્યાન તેમનો અવાજ સુધ્ધા સાંભળ્યો નથી. આમ 14 વર્ષના વનવાસ પછી તેઓ મહાપ્રયાણ કરી ગયા છે. પોતાની એક કવિતામાં હાર નહી માનુગા....કહેનાર અટલ આખરે મોત સામે હારી ગયા..