-
ગુજરાતમાંથી 2 વખત (12 વર્ષ) રાજ્યસભામાં મોકલ્યા બાદ ત્રીજી વખતે નાણામંત્રી અરૂણ જેટલીને હવે ગુજરાતને બદલે યુપીમાંથી રાજ્યસભામાં મોકલવાનું નક્કી થયું છે. ગુજરાતમાં આ બદલાયેલા રાજકીય સમીકરણો માટે ભાજપને 182માંથી માત્ર મળેલી 99 બેઠકો અને કોંગ્રેસને મળેલી વધુ બેઠકો જવાબદાર છે. જો ભાજપને વધુ બેઠકો મળી હોત તો જેટલીને ગુજરાત છોડવું પડ્યું ન હોત. વિધાનસભા ચૂંટણીમાં મળેલી ઓછી બેઠકોની મેઇન ઇફેક્ટ હવે ભાજપને ધીમે ધીમે સમજાઇ રહી છે. જેટલી યુપીમાંથી જીત્યા બાદ તેમની સાંસદની ગ્રાન્ટ હવે યુપીમાં વપરાશે. ગુજરાત સાથે હવે તેમનું રાજકીય વજૂદ ઓછુ થઇ જશે, એમ પણ રાજકીય પરિબળોનું માનવુ છે.
-
ગુજરાતમાંથી 2 વખત (12 વર્ષ) રાજ્યસભામાં મોકલ્યા બાદ ત્રીજી વખતે નાણામંત્રી અરૂણ જેટલીને હવે ગુજરાતને બદલે યુપીમાંથી રાજ્યસભામાં મોકલવાનું નક્કી થયું છે. ગુજરાતમાં આ બદલાયેલા રાજકીય સમીકરણો માટે ભાજપને 182માંથી માત્ર મળેલી 99 બેઠકો અને કોંગ્રેસને મળેલી વધુ બેઠકો જવાબદાર છે. જો ભાજપને વધુ બેઠકો મળી હોત તો જેટલીને ગુજરાત છોડવું પડ્યું ન હોત. વિધાનસભા ચૂંટણીમાં મળેલી ઓછી બેઠકોની મેઇન ઇફેક્ટ હવે ભાજપને ધીમે ધીમે સમજાઇ રહી છે. જેટલી યુપીમાંથી જીત્યા બાદ તેમની સાંસદની ગ્રાન્ટ હવે યુપીમાં વપરાશે. ગુજરાત સાથે હવે તેમનું રાજકીય વજૂદ ઓછુ થઇ જશે, એમ પણ રાજકીય પરિબળોનું માનવુ છે.