Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શનિવારે આર્મી અને સુરક્ષા જવાનો દ્વારા ૩ આતંકીઓને ઠાર કરવાનાં વિરોધમાં નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ૮ નાગરિકોનાં મોત થયાં હતા અને કેટલાકને ઈજા થઈ હતી. આ પછી શ્રીનગર અને પુલવામા જિલ્લામાં તંગદિલી સર્જાઈ છે. અલગતાવાદીઓએ નાગરિકોના મોતનાં વિરોધમાં રવિવારે બંધનું એલાન આપ્યું હતું. સત્તાવાળાઓએ બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીનાં પગલાંરૂપે પુલવામા અને શ્રીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધો લાદ્યા છે. શ્રીનગર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે અને તમામ સ્થળે સુરક્ષાદળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 

શનિવારે આર્મી અને સુરક્ષા જવાનો દ્વારા ૩ આતંકીઓને ઠાર કરવાનાં વિરોધમાં નાગરિકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ૮ નાગરિકોનાં મોત થયાં હતા અને કેટલાકને ઈજા થઈ હતી. આ પછી શ્રીનગર અને પુલવામા જિલ્લામાં તંગદિલી સર્જાઈ છે. અલગતાવાદીઓએ નાગરિકોના મોતનાં વિરોધમાં રવિવારે બંધનું એલાન આપ્યું હતું. સત્તાવાળાઓએ બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીનાં પગલાંરૂપે પુલવામા અને શ્રીનગર જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધો લાદ્યા છે. શ્રીનગર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે અને તમામ સ્થળે સુરક્ષાદળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ