-
ખેતી માટે સરકાર દ્વારા પોતાના પાકને બચાવવા સિંચાઇનું પાણી નહીં મળતાં સુરત નજીક ઓલપાડમાં એક ખેડૂત દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યાની ચર્ચાએ સમગ્ર ખેડૂત સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે. પોલીસ આપઘાતના કારણની તપાસ ચાલી રહી હોવાનું જણાવે છે. આપઘાત કરનાર દંપતિને સુરત લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના પરિવારજનોએ મિડિયાને એવું કારણ આપ્યું કે આ દંપતિએ પોતાના ખેતરમાં ડાંગરનો પાક વાવ્યો હતો. પણ પાણીના અભાવે પાક નિષ્ફળ જાય તેમ લાગતાં બન્નેએ જીવન ટૂંકાવ્યું છે. જો ખરેખર આ ખેડૂત દંપતિએ પાણી નહીં મળતાં આપઘાત કર્યો હોય તો પાણીની તંગી માટે આપઘાતની આ પ્રથમ જ ઘટના હશે.
-
ખેતી માટે સરકાર દ્વારા પોતાના પાકને બચાવવા સિંચાઇનું પાણી નહીં મળતાં સુરત નજીક ઓલપાડમાં એક ખેડૂત દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યાની ચર્ચાએ સમગ્ર ખેડૂત સમાજમાં ભારે નારાજગી વ્યાપી છે. પોલીસ આપઘાતના કારણની તપાસ ચાલી રહી હોવાનું જણાવે છે. આપઘાત કરનાર દંપતિને સુરત લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના પરિવારજનોએ મિડિયાને એવું કારણ આપ્યું કે આ દંપતિએ પોતાના ખેતરમાં ડાંગરનો પાક વાવ્યો હતો. પણ પાણીના અભાવે પાક નિષ્ફળ જાય તેમ લાગતાં બન્નેએ જીવન ટૂંકાવ્યું છે. જો ખરેખર આ ખેડૂત દંપતિએ પાણી નહીં મળતાં આપઘાત કર્યો હોય તો પાણીની તંગી માટે આપઘાતની આ પ્રથમ જ ઘટના હશે.