દેશભરમાં મોદી સરકાર વિરૃદ્ધ ખેડૂતોનો રોષ વધી રહ્યો છે. ૧૯ રાજ્યોના એક લાખથી પણ વધુ ખેડૂતોએ દિલ્હીમાં એકઠા થઇને મોદી સરકાર સામે હલ્લાબોલ કરી સરકારની સમક્ષ પોતાની માગ મુકી હતી. દેશભરના ૧૮૦થી પણ વધુ ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં વિશાળ રેલી પણ કાઢી હતી અને પ્રદર્શન કર્યું હતું, ખેડૂતોની મુખ્ય માગણી છે કે લોન માફીથી લઇને ટેકાના ભાવ તેમજ આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારને આર્થીક મદદ કરવામાં આવે.
દેશભરમાં મોદી સરકાર વિરૃદ્ધ ખેડૂતોનો રોષ વધી રહ્યો છે. ૧૯ રાજ્યોના એક લાખથી પણ વધુ ખેડૂતોએ દિલ્હીમાં એકઠા થઇને મોદી સરકાર સામે હલ્લાબોલ કરી સરકારની સમક્ષ પોતાની માગ મુકી હતી. દેશભરના ૧૮૦થી પણ વધુ ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં વિશાળ રેલી પણ કાઢી હતી અને પ્રદર્શન કર્યું હતું, ખેડૂતોની મુખ્ય માગણી છે કે લોન માફીથી લઇને ટેકાના ભાવ તેમજ આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારને આર્થીક મદદ કરવામાં આવે.