Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ  ડેઝીગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. જેમાં કોરોનાના 8 દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાને ગંભીરતાને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. આ કમિટીને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, AMC દ્વારા કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલના ICUમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કુલ 8 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના અંગે એલિસબ્રીજ હોસ્પિટલ વિરુદ્ધ અકસ્માતે મોતની FIR દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ લીધી હતી. PM મોદીએ મુખ્યમંત્રી રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે ફોન પર વાત કરીને માહિતી મેળવી હતી. વડાપ્રધાન સાથે ફોન પર વાત કર્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય હરકતમાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે બે સીનિયર IAS અધિકારીઓની નિયુક્તી કરી છે. જેમાં શહેરી વિકાસ વિભાગના અધિકારી મુકેશ કુમાર અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહની કમિટી 3 દિવસમાં તટસ્થ તપાસ પૂર્ણ કરીને સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. જે બાદ જો કોઈ આરોપી જણાશે, તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદની હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃતકોને પરિવારજનોને 2 લાખ રૂપિયા, જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત PMO તરફથી કરવામાં આવી છે.

આ ઘટના અંગે શંકરસિંહ વાઘેલાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સરકાર પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ  ડેઝીગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. જેમાં કોરોનાના 8 દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાને ગંભીરતાને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. આ કમિટીને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, AMC દ્વારા કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલના ICUમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કુલ 8 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના અંગે એલિસબ્રીજ હોસ્પિટલ વિરુદ્ધ અકસ્માતે મોતની FIR દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ લીધી હતી. PM મોદીએ મુખ્યમંત્રી રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે ફોન પર વાત કરીને માહિતી મેળવી હતી. વડાપ્રધાન સાથે ફોન પર વાત કર્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલય હરકતમાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે બે સીનિયર IAS અધિકારીઓની નિયુક્તી કરી છે. જેમાં શહેરી વિકાસ વિભાગના અધિકારી મુકેશ કુમાર અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહની કમિટી 3 દિવસમાં તટસ્થ તપાસ પૂર્ણ કરીને સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. જે બાદ જો કોઈ આરોપી જણાશે, તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદની હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃતકોને પરિવારજનોને 2 લાખ રૂપિયા, જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત PMO તરફથી કરવામાં આવી છે.

આ ઘટના અંગે શંકરસિંહ વાઘેલાએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને સરકાર પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ