જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરીએકવાર તેની નાપાક હરકતને અંજામ આપતા અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. રમઝાન મહિનામાં કેન્દ્ર સરકારે સેનાને આતંક વિરોધી અભિયાન રોકવા માટે જણાવ્યું છે, જેના સકારાત્મક પરિણામ પણ જોવા મળી રહ્યાં છે. જો કે બીજી તરફ પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને નાગરિકો પર જીવલેણ હુમલા કરી રહ્યું છે. ભારતીય સેનાએ જવાબી ફાયરિંગ કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.