શાહપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે મામલો થાળે પાડ્યો , ત્યાં દિલ્હી દરવાજા પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. જ્યાં કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે નીતૂ દે નામના કિન્નરની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવના દે અને નીતુ દેની કિન્નર ગેંગ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી રૂપિયા ઉઘરાવવાની બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં આજે રાત્રે દિલ્હી દરવાજા પાસે કિન્નર નીતુ દેએ ફાયરિંગ કર્યું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચે નીતુ દેની અટકાયત કરી છે. નીતુ દે અને ભાવના દેની ગેંગ વચ્ચે ચાલતી દુશ્મનાવટ મામલે સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયા છે.
આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI આર.જે.ચુડાસમાએ જણાવ્યું કે, અમને ફાયરિંગનો મેસેજ મળ્યો હતો. જેની તપાસમાં કિન્નરોની ગેંગ વચ્ચે ચાલતી ગેંગવોરમાં ફાયરિંગ થયાની વિગતો ખુલી છે.
જણાવી દઈએ કે, અગાઉ શાહપુરના ખાનપુર પાસે ભીલવાસ પાસે બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. જો કે પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જો કે હજી પોલીસ રાહતનો શ્વાસ લે ત્યાં દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ થયાનો મેસેજ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
શાહપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે મામલો થાળે પાડ્યો , ત્યાં દિલ્હી દરવાજા પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. જ્યાં કિન્નરો વચ્ચેની ગેંગવૉરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે નીતૂ દે નામના કિન્નરની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવના દે અને નીતુ દેની કિન્નર ગેંગ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી રૂપિયા ઉઘરાવવાની બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં આજે રાત્રે દિલ્હી દરવાજા પાસે કિન્નર નીતુ દેએ ફાયરિંગ કર્યું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચે નીતુ દેની અટકાયત કરી છે. નીતુ દે અને ભાવના દેની ગેંગ વચ્ચે ચાલતી દુશ્મનાવટ મામલે સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયા છે.
આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI આર.જે.ચુડાસમાએ જણાવ્યું કે, અમને ફાયરિંગનો મેસેજ મળ્યો હતો. જેની તપાસમાં કિન્નરોની ગેંગ વચ્ચે ચાલતી ગેંગવોરમાં ફાયરિંગ થયાની વિગતો ખુલી છે.
જણાવી દઈએ કે, અગાઉ શાહપુરના ખાનપુર પાસે ભીલવાસ પાસે બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. જો કે પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જો કે હજી પોલીસ રાહતનો શ્વાસ લે ત્યાં દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ થયાનો મેસેજ મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.