અમદાવાદના ચકચારી સેટેલાઈટ ગેંગ રેપકાંડમાં ફરિયાદમાં જેનું નામ છે તે વૃષભ મારુના પરિવારે દાવો કર્યો છે કે તેમનો દિકરો નિર્દોષ છે અને પીડિતો પહેલા સાબિત કરે તે તેનો બળાત્કાર થયો છે. વૃષભ મારુ પકડાયો નથી ત્યારે અસલાલી ખાતે રહેતો તેનો પરિવાર મીડિયા સામે આવ્યો હતો. રવિવારે પીડિતાનો પરિવાર મીડિયા સામે આવ્યો હતો તેમજ ક્રાઇમ બ્રાંચ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.