ભારતના મુખ્ય ન્યાયાધીસ દીપક મિશ્રા પર મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના વિરોધમાં સોમવારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. પાર્ટીના રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને વાઈસ પ્રેસિડન્ટ વેંકૈયા નાયડૂની પાસે તેને રદ કરવાનો વિકલ્પ નથી. તેઓએ જસ્ટિસ મિશ્રા વિરૂદ્ધ લાગેલા આરોપની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈતી હતી. 23 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષના સાત પક્ષના સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસને ફગાવી દીધી હતી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ પોતાના 10 પેજના ફેંસલામાં કહ્યું હતું કે, "નોટિસમાં ચીફ જસ્ટિસ પર લગાવવામાં આવેલા આરોપને મીડિયાની સામે ઉજાગર કરવામાં આવ્યા, જે સંસદીય ગરિમાની વિરૂદ્ધ છે." સાથે જ કહ્યું કે તેઓએ તમામ કાયદા નિષ્ણાંતો સાથેની ચર્ચા પછી આ પ્રસ્તાવ તર્કસંગત નથી.
ભારતના મુખ્ય ન્યાયાધીસ દીપક મિશ્રા પર મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ રદ કરવાના વિરોધમાં સોમવારે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. પાર્ટીના રાજ્યસભાના 2 સભ્ય પ્રતાપસિંહ બાજવા અને અમી યાજ્ઞિકે કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ અને વાઈસ પ્રેસિડન્ટ વેંકૈયા નાયડૂની પાસે તેને રદ કરવાનો વિકલ્પ નથી. તેઓએ જસ્ટિસ મિશ્રા વિરૂદ્ધ લાગેલા આરોપની તપાસ માટે એક કમિટી બનાવવી જોઈતી હતી. 23 એપ્રિલે ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષના સાત પક્ષના સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસને ફગાવી દીધી હતી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂએ પોતાના 10 પેજના ફેંસલામાં કહ્યું હતું કે, "નોટિસમાં ચીફ જસ્ટિસ પર લગાવવામાં આવેલા આરોપને મીડિયાની સામે ઉજાગર કરવામાં આવ્યા, જે સંસદીય ગરિમાની વિરૂદ્ધ છે." સાથે જ કહ્યું કે તેઓએ તમામ કાયદા નિષ્ણાંતો સાથેની ચર્ચા પછી આ પ્રસ્તાવ તર્કસંગત નથી.