રિઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકે ભૂતપૂર્વ નાણાસચિવ શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે આ પહેલાં ઊર્જિત પટેલે સત્વરે અમલી બને એ રીતે સોમવારે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે પટેલની મુદત ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાની હતી. ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન દાસે આર્થિક બાબતોના સચિવ તરીકે કામગીરી બજાવી હતી. હાલમાં તેઓ ફાઇનાન્સ કમિશનના સભ્ય છે અને જી – ૨૦ સમિટમાં સરકારના પ્રતિનિધિ છે. સરકારે શરૂમાં દાસને નાણામંત્રાલયમાં મહેસૂલ ડિપાર્ટમેન્ટના વડા બનાવ્યા હતા પરંતુ પાછળથી તેમને આર્થિક બાબતોનો અખત્યાર સોંપ્યો હતો કે જ્યાં તેમણે ૨૦૧૬માં વિવાદાસ્પદ નોટબંધીની ઝુંબેશના પ્રસારમાં મદદ કરી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે દાસ સોમવારે હોદ્દો સંભાળી લેશે.
રિઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકે ભૂતપૂર્વ નાણાસચિવ શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે આ પહેલાં ઊર્જિત પટેલે સત્વરે અમલી બને એ રીતે સોમવારે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે પટેલની મુદત ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં પૂર્ણ થવાની હતી. ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન દાસે આર્થિક બાબતોના સચિવ તરીકે કામગીરી બજાવી હતી. હાલમાં તેઓ ફાઇનાન્સ કમિશનના સભ્ય છે અને જી – ૨૦ સમિટમાં સરકારના પ્રતિનિધિ છે. સરકારે શરૂમાં દાસને નાણામંત્રાલયમાં મહેસૂલ ડિપાર્ટમેન્ટના વડા બનાવ્યા હતા પરંતુ પાછળથી તેમને આર્થિક બાબતોનો અખત્યાર સોંપ્યો હતો કે જ્યાં તેમણે ૨૦૧૬માં વિવાદાસ્પદ નોટબંધીની ઝુંબેશના પ્રસારમાં મદદ કરી હતી. રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે દાસ સોમવારે હોદ્દો સંભાળી લેશે.