Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટ્રએ એકજૂથ થવાનો છે અને આપણે સંગઠિત થઈને આ દુસાહસનો જવાબ આપવો જોઈએ. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, '15-16 જૂનના રોજ ગાલવાન ઘાટીમાં ભારતના 20 જવાનોએ સર્વોચ્ય કુરબાની આપી. દેશના આ સપુતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ય ત્યાગ માટે આપણે આ સાહસી સૈનિકો અને તેમના પરિવારના કૃતજ્ઞ છીએ પરંતુ આ બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.'

તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા, રણનીતિ અને સીમાઓના મુદ્દે વડાપ્રધાન મોદીએ સમજી વિચારીને નિવેદન આપવું જોઈએ. વડાપ્રધાને સાવધાન રહેવું જોઈએ કે આ મામલાઓમાં તેમની વાતોથી કેવી અસર પડશે. શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં મોદીના નિવેદન અંગે થયેલા વિવાદ બાદ મનમોહન સિંહે સોમવારે આ ટિપ્પણી કરી હતી.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આપણે ઐતિહાસિક રસ્તે છીએ. આ વખતે સરકારના નિર્ણય અને કાર્યવાહીથી જ નક્કી થશે કે આવનારી પેઢીનું આપણા વિશે કેવું મંતવ્ય હશે.આપણી લીડરશીપે જવાબદારીઓ ઉઠાવી પડે છે. ભારતીય લોકતંત્રમાં આ જવાબદારી વડાપ્રધાન ઓફિસની હોય છે.

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટ્રએ એકજૂથ થવાનો છે અને આપણે સંગઠિત થઈને આ દુસાહસનો જવાબ આપવો જોઈએ. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, '15-16 જૂનના રોજ ગાલવાન ઘાટીમાં ભારતના 20 જવાનોએ સર્વોચ્ય કુરબાની આપી. દેશના આ સપુતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ય ત્યાગ માટે આપણે આ સાહસી સૈનિકો અને તેમના પરિવારના કૃતજ્ઞ છીએ પરંતુ આ બલિદાન વ્યર્થ ન જવું જોઈએ.'

તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા, રણનીતિ અને સીમાઓના મુદ્દે વડાપ્રધાન મોદીએ સમજી વિચારીને નિવેદન આપવું જોઈએ. વડાપ્રધાને સાવધાન રહેવું જોઈએ કે આ મામલાઓમાં તેમની વાતોથી કેવી અસર પડશે. શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં મોદીના નિવેદન અંગે થયેલા વિવાદ બાદ મનમોહન સિંહે સોમવારે આ ટિપ્પણી કરી હતી.

પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આપણે ઐતિહાસિક રસ્તે છીએ. આ વખતે સરકારના નિર્ણય અને કાર્યવાહીથી જ નક્કી થશે કે આવનારી પેઢીનું આપણા વિશે કેવું મંતવ્ય હશે.આપણી લીડરશીપે જવાબદારીઓ ઉઠાવી પડે છે. ભારતીય લોકતંત્રમાં આ જવાબદારી વડાપ્રધાન ઓફિસની હોય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ