કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશમાં બેકાબુ થઈ રહેલા કોરોના વાયરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું છે કે, કોવિડ-19, નોટબંધી અને જીએસટી જેવી નિષ્ફળતાઓ ભવિષ્યમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્ટડીના વિષય હશે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ભાષણની એક ક્લિપ ટ્વિટર પર શેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવી રહ્યા છે કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું અને કોરોનાની લડાઈ 21 દિવસ સુધી ચાલશે. આ વીડિયોમાં ક્લિપમાં એક ગ્રાફ પણ જોવા મળે છે જેમાં દેખાઈ રહ્યું છે કે કેવીરીતે ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને અને દેશ ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાક દરમિયાન કોરોનાના 24248 નવા કેસ નોંધાયા છે આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 697413 સુધી પહોંચી ગયા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશમાં બેકાબુ થઈ રહેલા કોરોના વાયરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું છે કે, કોવિડ-19, નોટબંધી અને જીએસટી જેવી નિષ્ફળતાઓ ભવિષ્યમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્ટડીના વિષય હશે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ભાષણની એક ક્લિપ ટ્વિટર પર શેર કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ જણાવી રહ્યા છે કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું અને કોરોનાની લડાઈ 21 દિવસ સુધી ચાલશે. આ વીડિયોમાં ક્લિપમાં એક ગ્રાફ પણ જોવા મળે છે જેમાં દેખાઈ રહ્યું છે કે કેવીરીતે ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને અને દેશ ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાક દરમિયાન કોરોનાના 24248 નવા કેસ નોંધાયા છે આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 697413 સુધી પહોંચી ગયા છે.