આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવખત ગેસ લીકેજની દર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવારે સવારે પરવદાની જવાહરલાલ નેહરૂ ફાર્મા સિટીમાં સ્થિત સૈનર લાઈફ સાયન્સ ફાર્મા કંપનીમાંથી બેંજીમેડિજોલ ગેસ લીક થયો છે જે જીવલેણ હોય છે.
જ્યારે ગેસ લીકની દુર્ઘટના બની ત્યારે ફાર્મા કંપનીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. અચાનક છ કારીગરોને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈને પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે કર્મચારીઓના મોત થઈ ગયા હતા. ચારની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવખત ગેસ લીકેજની દર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવારે સવારે પરવદાની જવાહરલાલ નેહરૂ ફાર્મા સિટીમાં સ્થિત સૈનર લાઈફ સાયન્સ ફાર્મા કંપનીમાંથી બેંજીમેડિજોલ ગેસ લીક થયો છે જે જીવલેણ હોય છે.
જ્યારે ગેસ લીકની દુર્ઘટના બની ત્યારે ફાર્મા કંપનીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા. અચાનક છ કારીગરોને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈને પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે કર્મચારીઓના મોત થઈ ગયા હતા. ચારની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.