ભારત સરકાર દેશના ભાગેડુ કૌભાંડીઓની સંપત્તિ જપ્ત કરશે તેમ આજે દીવ-સેલવાસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે ભારત સરકાર ઝડપથી નિયમોમાં ફેરફાર કરીને આવા ભાગેડુ કૌભાંડીઓની સંપત્તિ-મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી કરશે. આ માટે સંસદમાં ભાગેડુ કૌભાંડીઓની સંપત્તિ જપ્ત કરવા માટેનું બિલ પણ લાવવામાં આવશે તેમ પણ કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું. તેમણે સેલવાસમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.