પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે મોદીનો GSTએ ગ્રેટ સેલફિશ ટેક્સ છે. ઉલ્લખનીય છે કે અગાઉ રાહુલ ગાંધીએ પણ જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો હતો. મમતા એ કહ્યું હતું કે જીએસટીનો એક માત્ર ઉદ્દેશ લોકોને હેરાન કરવાનો અને અર્થ વ્યવસ્થાને ખોરવી દેવાનો છે. તેમણે નોટબંધીને પણ એક મોટી આફત ગણાવી હતી.