ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજૂનામું આપે છે તેવી અફવાઓ સોશ્યલ મીડિયામાં ફરતી થઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઇને ગૃહ વિભાગે આવી અફવાઓ અંગે તપાસ કરવા સાયબર ક્રાઈમને તપાસ સોંપી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારને અસ્થિર કરવાનો કારસો પણ હોઈ શકે તેમ છે. ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું છે.