-
ગુજરાત સરકારે આજે એકાએક ખેડૂતો પર પ્રેમ ઉભરાયો હોય તેમ તેમની પાસેથી અને અન્યો પાસેથી વીજ ચોરી પેટે બાકી નિકળતાં અંદાજે 650 કરોડની રકમ માફ કરી છે અને માત્ર 500 રૂપિયા ભરીને ઘરવપરાશ, ધંધાકીય અને ખેતીવાડી માટે વીજ જોડાણ મેળવી શક્શે. આવા અંદાજે 6 લાખ કરતાં વધુ વીજચોરોને તેનો લાભ મળશે. દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે જસદણ બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે વીજચોરી માફ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત પેટા ચૂંટણીની આચારસંહિતાનો પણ સરેઆમ ભંગ થયો છે. નવાઇ પમાડે તેમ કોંગ્રેસે ભાજપ સરકારની આ જાહેરાતનો કોઇ વિરોધ કર્યો નથી. અને એમ કહ્યું છે કે લોકોને લાભ મળતો હોય અમે તેનો વિરોઘ નહીં કરીએ...!
-
ગુજરાત સરકારે આજે એકાએક ખેડૂતો પર પ્રેમ ઉભરાયો હોય તેમ તેમની પાસેથી અને અન્યો પાસેથી વીજ ચોરી પેટે બાકી નિકળતાં અંદાજે 650 કરોડની રકમ માફ કરી છે અને માત્ર 500 રૂપિયા ભરીને ઘરવપરાશ, ધંધાકીય અને ખેતીવાડી માટે વીજ જોડાણ મેળવી શક્શે. આવા અંદાજે 6 લાખ કરતાં વધુ વીજચોરોને તેનો લાભ મળશે. દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે જસદણ બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે વીજચોરી માફ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત પેટા ચૂંટણીની આચારસંહિતાનો પણ સરેઆમ ભંગ થયો છે. નવાઇ પમાડે તેમ કોંગ્રેસે ભાજપ સરકારની આ જાહેરાતનો કોઇ વિરોધ કર્યો નથી. અને એમ કહ્યું છે કે લોકોને લાભ મળતો હોય અમે તેનો વિરોઘ નહીં કરીએ...!