ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 344 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 13011 દર્દી સાજા થયા છે.
આજે 35 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 30, સુરત-2,આણંદ-1, ભાનવગર-1, સુરેન્દ્રનગર-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1190ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 968ના મોત થયા છે. રાજ્યના કુલ 19119 કેસ પૈકી 13678 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4918 એક્ટિવ કેસ છે જેમાં 13011 દર્દી સાજા થયા છે જ્યારે 63 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 344 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 13011 દર્દી સાજા થયા છે.
આજે 35 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 30, સુરત-2,આણંદ-1, ભાનવગર-1, સુરેન્દ્રનગર-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1190ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 968ના મોત થયા છે. રાજ્યના કુલ 19119 કેસ પૈકી 13678 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 4918 એક્ટિવ કેસ છે જેમાં 13011 દર્દી સાજા થયા છે જ્યારે 63 દર્દી વેન્ટિલેટર પર છે.