ગુજરાત વિધાનસભાની 2017 ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠકો મળી તે અંગે ગુજરાત વિધાનસભામાં બજેટસત્ર દરમ્યાન ગુરુવારે ગૃહમાં ચર્ચા દરમ્યાન હોબાળો થયો હતો. તે સમયે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દાવો કર્યો હતો કે ગૌહત્યા કાયદાને કારણે ભાજપને કસાઈઓના મત નથી મળ્યા, દારૂબંધીને કારણે બૂટલેગરોના મત નથી મળ્યા અને ફી નિયમન કાયદાને કારણે ગિન્નાયેલા શાળા સંચાલકોના મત ભાજપને મત નથી મળ્યા.