દેશમાં નવેમ્બર 2016 વખતે નોટબંધી પછી સુરતમાં બિટકોઈનમાં રોકાણ કરીને 100 દિવસમાં ડબલ આપવાની લાલચ આપીને કેટલાય લોકો પાસેથી મસમોટી રકમનું રોકાણ કરાવાયું. એક માહિતી અનુસાર આ કૌભાંડમાં ગુજરાતીઓએ 22 હજાર કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું જાણવા મળે છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓને રોવાનો વારો આવ્યો છે.