-
પાટીદાર સમાજ માટે અનામતની માંગણી માટે સરકાર પર દબાણ લાવવા પાસ નેતા હાર્દિક પટેલે મિડિયા જોગ એક નિવેદનમાં જણાવ્યું કે સ્થાનિક તંત્ર સરકારના ઇશારે તેમના ઉપવાસ માટે સ્થળ ફાળવવામાં અડીંગો વગાવી રહ્યું છે ત્યારે તેઓ પોતે આવતીકાલે ( તા.૧૦/૮/૨૦૧૮ ) ઉપવાસ આંદોલન મંજૂરી બાબતે પહેલી અને છેલ્લી વાર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંગ ને બપોર ૨:૧૫ કલાકે અને મ્યુ.કમિશ્નર વિજય નેહરાને ૩:૨૦ કલાકે હું રૂબરૂ મુલાકાત કરીશ. દરમ્યાન પાસના પ્રવક્તા નિખીલ સવાણીએ જણાવ્યું કે હવે જો કોઈ પણ અધિકારી રાજકીય દબાણવશ થઈ પોતાના અંગત હિત માટે જો ભાજપ ના ઈશારે મેદાન ની ફાળવણી કરવા મા વિલંબ કરશે તો તે વિરોધ નો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ઉપવાસ નો કાર્યક્રમ નિર્ધારિત સમય પ્રમાણે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં જ કરવામાં આવશે. જો અમને લોકશાહીના હિતમાં મંજૂરી આપવામાં નહી આવે તો કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી સરકાર ની રહેશે.
-
પાટીદાર સમાજ માટે અનામતની માંગણી માટે સરકાર પર દબાણ લાવવા પાસ નેતા હાર્દિક પટેલે મિડિયા જોગ એક નિવેદનમાં જણાવ્યું કે સ્થાનિક તંત્ર સરકારના ઇશારે તેમના ઉપવાસ માટે સ્થળ ફાળવવામાં અડીંગો વગાવી રહ્યું છે ત્યારે તેઓ પોતે આવતીકાલે ( તા.૧૦/૮/૨૦૧૮ ) ઉપવાસ આંદોલન મંજૂરી બાબતે પહેલી અને છેલ્લી વાર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંગ ને બપોર ૨:૧૫ કલાકે અને મ્યુ.કમિશ્નર વિજય નેહરાને ૩:૨૦ કલાકે હું રૂબરૂ મુલાકાત કરીશ. દરમ્યાન પાસના પ્રવક્તા નિખીલ સવાણીએ જણાવ્યું કે હવે જો કોઈ પણ અધિકારી રાજકીય દબાણવશ થઈ પોતાના અંગત હિત માટે જો ભાજપ ના ઈશારે મેદાન ની ફાળવણી કરવા મા વિલંબ કરશે તો તે વિરોધ નો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ઉપવાસ નો કાર્યક્રમ નિર્ધારિત સમય પ્રમાણે 25 ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં જ કરવામાં આવશે. જો અમને લોકશાહીના હિતમાં મંજૂરી આપવામાં નહી આવે તો કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી સરકાર ની રહેશે.