હાર્દિક પટેલને કેન્દ્ર સરકારે કરેલા સૂચનના પગલે વાય કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેને સલામતિ અપાઇ છે. હાર્દિકની સાથે 24 કલાક સીઆઇએસએફના જવાનો રહેશે. જ્યારે તેના ઘર પર પણ પોલીસ પહેરો રહેશે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમજાવી રહ્યા હતા કે મારે વાય કેટેગરીની સુરક્ષા વ્યવસ્થાને સ્વીકારી લેવી. મને એવું કારણ આપવામાં આવ્યું છે કે, મારા જીવને જોખમ છે. તેથી અંતે મે આ સુરક્ષા વ્યવસ્થા સ્વીકારી છે.
હાર્દિક પટેલને કેન્દ્ર સરકારે કરેલા સૂચનના પગલે વાય કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેને સલામતિ અપાઇ છે. હાર્દિકની સાથે 24 કલાક સીઆઇએસએફના જવાનો રહેશે. જ્યારે તેના ઘર પર પણ પોલીસ પહેરો રહેશે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમજાવી રહ્યા હતા કે મારે વાય કેટેગરીની સુરક્ષા વ્યવસ્થાને સ્વીકારી લેવી. મને એવું કારણ આપવામાં આવ્યું છે કે, મારા જીવને જોખમ છે. તેથી અંતે મે આ સુરક્ષા વ્યવસ્થા સ્વીકારી છે.