જાપાનમાં સતત વરસેલા મુશળધાર વરસાદથી 100 જેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે અને મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. અંદાજે 20 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરકારે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ રહેવા માટે કહ્યું છે. ફસાયેલાઓમાં ભારતીયોનો પણ સમાવેશ હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળે છે.