-
ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના નેતા જયંતી ભાનુશાળીની રેપ કેસમાં ધરપકડ થશે અને તેમની તથા ભાજપની આબરૂના ધજાગરા ઉડશે એવા રાજકીય અનુમાનો વચ્ચે ભાનુશાળીએ કંઇક એવું ચક્કર ચલાવ્યું કે ખુદ રેપ પિડિતાએ ગુજરાત હાઇકોર્ટમાં એવું નિવેદન આપ્યું કે ભાનુશાળી સામેની તેમની પોલીસ ફરિયાદ રદ થાય તો તેમને વાંધો નથી...! આજે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી નિકળતા કોર્ટે પિડિતાની સંમતિના પગલે ભાનુશાળી સામેની બળાત્કારની પોલીસ ફરિયાદ રદ કરી હતી. તેના પગલે રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા થઇ કે ભાનુશાળી ખરેખર ભાગ્યશાળી પૂરવાર સાબિત થયા અને પોલીસ સ્ટેશનેઆરોપી તરીકે જવાને બદલે મંદ મંદ મુસ્કાન સાથે રેપ જેવા ગંભીર ગુનાની પોલીસ ફરિયાદમાંથી મુક્ત થયાં અને જાણે કે ભાજપે પણ ટાઢા પાણીએ ખસ ગઇ...ની લાગણી અનુભવી હશે.
-
ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના નેતા જયંતી ભાનુશાળીની રેપ કેસમાં ધરપકડ થશે અને તેમની તથા ભાજપની આબરૂના ધજાગરા ઉડશે એવા રાજકીય અનુમાનો વચ્ચે ભાનુશાળીએ કંઇક એવું ચક્કર ચલાવ્યું કે ખુદ રેપ પિડિતાએ ગુજરાત હાઇકોર્ટમાં એવું નિવેદન આપ્યું કે ભાનુશાળી સામેની તેમની પોલીસ ફરિયાદ રદ થાય તો તેમને વાંધો નથી...! આજે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી નિકળતા કોર્ટે પિડિતાની સંમતિના પગલે ભાનુશાળી સામેની બળાત્કારની પોલીસ ફરિયાદ રદ કરી હતી. તેના પગલે રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા થઇ કે ભાનુશાળી ખરેખર ભાગ્યશાળી પૂરવાર સાબિત થયા અને પોલીસ સ્ટેશનેઆરોપી તરીકે જવાને બદલે મંદ મંદ મુસ્કાન સાથે રેપ જેવા ગંભીર ગુનાની પોલીસ ફરિયાદમાંથી મુક્ત થયાં અને જાણે કે ભાજપે પણ ટાઢા પાણીએ ખસ ગઇ...ની લાગણી અનુભવી હશે.