-
આસામમાં એનઆરસીના મુદ્દે સર્જાયેલા રાજકીય ધમાસાણ વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંગે આજે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ-એનઆરસીને લઈને ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમાં કોઈની પણ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ માત્ર ડ્રાફ્ટ છે, મુસદ્દો છે કોઇ ફાઈનલ લિસ્ટ નથી. આ પ્રક્રિયા સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ થઈ છે. આસામ અને કેન્દ્ર સરકાર આ વાત માટે પ્રતિબદ્ધ છે કે તમામ ભારતીયોના નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવે. રાજનાથસિંગે વધુમાં કહ્યું કે ફાઈનલ એનઆરસી પહેલાં તમામને ક્લેમ્સ ફંડ ઓબ્જેક્શન ફાઈલ કરવાની તક મળશે. જે બાદ જે લોકોના નામ ફાઈનલ યાદીમાં સામેલ નહીં થાય તેને અપીલ કરવાનો અધિકાર હશે.
-
આસામમાં એનઆરસીના મુદ્દે સર્જાયેલા રાજકીય ધમાસાણ વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંગે આજે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ-એનઆરસીને લઈને ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમાં કોઈની પણ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ માત્ર ડ્રાફ્ટ છે, મુસદ્દો છે કોઇ ફાઈનલ લિસ્ટ નથી. આ પ્રક્રિયા સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ થઈ છે. આસામ અને કેન્દ્ર સરકાર આ વાત માટે પ્રતિબદ્ધ છે કે તમામ ભારતીયોના નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવે. રાજનાથસિંગે વધુમાં કહ્યું કે ફાઈનલ એનઆરસી પહેલાં તમામને ક્લેમ્સ ફંડ ઓબ્જેક્શન ફાઈલ કરવાની તક મળશે. જે બાદ જે લોકોના નામ ફાઈનલ યાદીમાં સામેલ નહીં થાય તેને અપીલ કરવાનો અધિકાર હશે.