પીએનબી કૌભાંડના બે મુખ્ય આરોપીઓમાંનો એક મેહુલ ચોક્સીએ ફરી એક વખત સીબીઆઇને ભારત પરત આવવાની ના પાડી દીધી છે. મેહુલે મંગળવારે સીબીઆઇને પત્ર લખીને કહ્યું હતું કે, હું વિદેશમાં મારો બિઝનેસ જમાવવાના પ્રયાસમાં છું. ભારત પરત ફરવું શક્ય નથી. મેહુલ ચોક્સી અને તેનો ભાણિયો નીરવ ચોક્સી ૧૨,૬૭૨ કરોડના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે.