જમ્મુ-કાશ્મીરના પીર પંજાલમાં જોરદાર બરફ વર્ષા થઈ છે. જેના કારણે પુંછથી શોપિયાંને જોડતા ઐતિહાસિક મુગલ રોડને શુક્રવારથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાજુ હિમાચલના ડુંડી, લાહૌલ-સ્પીતી અને ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ બરફ વર્ષા થઈ છે. કાશ્મીર અને હિમાચલમાં સતત ચાર દિવસથી બરફ વર્ષા થઈ રહી હોવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.