કોંગ્રેસ પાર્ટીના સામાન્ય સભ્યપદેથી સસ્પેન્ડ કરાયાના બીજા દિવસે મણિશંકર ઐયરે તેમનાં નિવેદનને કારણે સર્જાયેલા વિવાદના સંદર્ભમાં કહ્યું હતું કે, પીએમ મોદી અંગે નીચ આદમીની મારી ટિપ્પણીને કારણે જો ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ નુકસાન થાય તો કોઈપણ સજા ભોગવવા હું તૈયાર છું. કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટી વિના ભારતનો ઉદ્ધાર નથી, મેં જે કંઈ કહ્યું તેને કારણે જો કોંગ્રેસને કોઈ નુકસાન થાય તો તે માટે હું દિલગીર છું. ભારત- પાકિસ્તાન સેમિનાર પછી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ વાત કરી હતી. ઐયરે કહ્યું કે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સારી કામગીરી કરી રહ્યો છે. ગુજરાતમાં શનિવારે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે તેના બે દિવસ પહેલાં જ ઐયરે મોદીને નીચ કિસ્મ કા આદમી ગણાવતાં ભારે વિવાદ સર્જાયો હતો.
કોંગ્રેસ પાર્ટીના સામાન્ય સભ્યપદેથી સસ્પેન્ડ કરાયાના બીજા દિવસે મણિશંકર ઐયરે તેમનાં નિવેદનને કારણે સર્જાયેલા વિવાદના સંદર્ભમાં કહ્યું હતું કે, પીએમ મોદી અંગે નીચ આદમીની મારી ટિપ્પણીને કારણે જો ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ નુકસાન થાય તો કોઈપણ સજા ભોગવવા હું તૈયાર છું. કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને પાર્ટી વિના ભારતનો ઉદ્ધાર નથી, મેં જે કંઈ કહ્યું તેને કારણે જો કોંગ્રેસને કોઈ નુકસાન થાય તો તે માટે હું દિલગીર છું. ભારત- પાકિસ્તાન સેમિનાર પછી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ વાત કરી હતી. ઐયરે કહ્યું કે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સારી કામગીરી કરી રહ્યો છે. ગુજરાતમાં શનિવારે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે તેના બે દિવસ પહેલાં જ ઐયરે મોદીને નીચ કિસ્મ કા આદમી ગણાવતાં ભારે વિવાદ સર્જાયો હતો.