આંધ્ર પ્રદેશને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્રમાં ભાજપ સરકાર સામે બાંયો ચડાવનાર આંધ્રનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ મંગળવારે તીખા તેવર દર્શાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર જો આંધ્રનાં વિકાસ માટે અને નવી રાજધાની બાંધવા માટે ફંડ રિલીઝ કરવા માગતી ન હોય તો રાજ્ય સરકારે તેને શા માટે કેન્દ્રીય કરવેરા ચૂકવવા જોઈએ? નાયડુએ આક્ષેપો કર્યા હતા કે આંધ્ર પ્રદેશમાં અમરાવતી વર્લ્ડ ક્લાસ રાજધાની બને તેવું કેન્દ્ર સરકાર ઈચ્છતી નથી અને તેને કારણે આંધ્ર પ્રદેશને ફંડ પણ ફાળવવામાં આવતું નથી.
આંધ્ર પ્રદેશને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્રમાં ભાજપ સરકાર સામે બાંયો ચડાવનાર આંધ્રનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ મંગળવારે તીખા તેવર દર્શાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર જો આંધ્રનાં વિકાસ માટે અને નવી રાજધાની બાંધવા માટે ફંડ રિલીઝ કરવા માગતી ન હોય તો રાજ્ય સરકારે તેને શા માટે કેન્દ્રીય કરવેરા ચૂકવવા જોઈએ? નાયડુએ આક્ષેપો કર્યા હતા કે આંધ્ર પ્રદેશમાં અમરાવતી વર્લ્ડ ક્લાસ રાજધાની બને તેવું કેન્દ્ર સરકાર ઈચ્છતી નથી અને તેને કારણે આંધ્ર પ્રદેશને ફંડ પણ ફાળવવામાં આવતું નથી.