Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ એન્ડ કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શોપિયાં જિલ્લામાં અમ્શીપોરા ગામ ખાતે ૩ આતંકીઓને ઠાર કરાયા હતા. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સુરક્ષા દળોને ગુપ્ત બાતમી મળી હતી આ પછી ગામમાં છુપાયેલા આતંકીઓ સાથે અથડામણ સર્જાઈ હતી. આ અગાઉ શુક્રવારે કુલગામમાં શિમર ખાતે સુરક્ષા જવાનોએ ૩ આતંકીઓનો સફાયો કર્યો હતો. આમ છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ મૂઠભેડમાં ૬ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કુલગામમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહંમદ સંગઠનનાં હતા. ઠાર કરાયેલા પૈકી એક આતંકી જૈશનો કમાન્ડર હતો. આ પાકિસ્તાની આતંકી IED બ્લાસ્ટ કરવામાં એક્સ્પર્ટ હતો.
 

જમ્મુ એન્ડ કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શોપિયાં જિલ્લામાં અમ્શીપોરા ગામ ખાતે ૩ આતંકીઓને ઠાર કરાયા હતા. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સુરક્ષા દળોને ગુપ્ત બાતમી મળી હતી આ પછી ગામમાં છુપાયેલા આતંકીઓ સાથે અથડામણ સર્જાઈ હતી. આ અગાઉ શુક્રવારે કુલગામમાં શિમર ખાતે સુરક્ષા જવાનોએ ૩ આતંકીઓનો સફાયો કર્યો હતો. આમ છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ મૂઠભેડમાં ૬ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કુલગામમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહંમદ સંગઠનનાં હતા. ઠાર કરાયેલા પૈકી એક આતંકી જૈશનો કમાન્ડર હતો. આ પાકિસ્તાની આતંકી IED બ્લાસ્ટ કરવામાં એક્સ્પર્ટ હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ