ઉ.પ્રદેશની રાજધાની લખનઉમાં ટ્રેઈનને પાટા પરથી ખેડવી દેવાનું એક કાવતરું પ્રકાશમાં આવ્યું છે. જો કે રેલવે કર્મિઓની સતર્કતાને કારણે, તત્કાલ પગલાં લેવામાં આવતા એક ભયંકર અકસ્માતને ટાળી શકાયો છે. રેલવેના ડાલીગંજ અને બાદશાહનગર સ્ટેશન વચ્ચે પાટાના ૭૧ જેટલા પેન્ડ્રોલ ક્લિપ્સ કોઈ કાઢી ગયું હતું. આની જાણ થતા જ રેલવેકર્મિઓએ તત્કાલ સંદેશા વ્યવહારથી તે માર્ગ પર પસાર થનારી ટ્રેનોને અટકાવી દીધી હતી અને ઝડપથી પાટાના સમારકામને ચાલુ કરી દીધું હતું.
ઉ.પ્રદેશની રાજધાની લખનઉમાં ટ્રેઈનને પાટા પરથી ખેડવી દેવાનું એક કાવતરું પ્રકાશમાં આવ્યું છે. જો કે રેલવે કર્મિઓની સતર્કતાને કારણે, તત્કાલ પગલાં લેવામાં આવતા એક ભયંકર અકસ્માતને ટાળી શકાયો છે. રેલવેના ડાલીગંજ અને બાદશાહનગર સ્ટેશન વચ્ચે પાટાના ૭૧ જેટલા પેન્ડ્રોલ ક્લિપ્સ કોઈ કાઢી ગયું હતું. આની જાણ થતા જ રેલવેકર્મિઓએ તત્કાલ સંદેશા વ્યવહારથી તે માર્ગ પર પસાર થનારી ટ્રેનોને અટકાવી દીધી હતી અને ઝડપથી પાટાના સમારકામને ચાલુ કરી દીધું હતું.