કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) વચ્ચે વિવાદ ઊભો થઈ ગયો છે. આજે ‘પાસ’ના નેતાઓ કોંગ્રેસના હાઈ-કમાન્ડને મળવા દિલ્હી ગયા હતા, પણ કોંગ્રેસના નેતાઓએ તેમને મળવાનો સમય ન આપતા ‘પાસ’ના નેતાઓ નારાજ થઈ ગયા છે. તેમણે કોંગ્રેસને પાટીદારોને અનામતના મામલે 24 કલાકમાં તેનું સ્ટેન્ડ ક્લીયર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.