આવકવેરા વિભાગ દ્વારા દેશભરમાં બિટકોઈન્સના મોટા એક્સ્ચેન્જો પર દરોડા પાડવામાં આવ્યા હતા. બિટકોઈન્સનાં દરમાં તેજીનો ફુગ્ગો ફૂલ્યા પછી સરકારને ઈ- પોન્ઝી સ્કીમ જેવા કૌભાંડ થવાનો ડર હોવાથી તેજીને રોકવા માટે દરોડા પડાયા છે. બિટકોઈન્સનો ઉપયોગ કરીને લોકો કરચોરી ન કરે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. આઈટી વિભાગનાં બેંગ્લુરૂ એકમના વડપણ હેઠળ દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ, કોચી અને ગુરુગ્રામ સહિત બિટકોઈન્સનાં ૯ એક્સ્ચેન્જો ખાતે સરવેની કામગીરી હાથ ધરાઈ હતી.
આવકવેરા વિભાગ દ્વારા દેશભરમાં બિટકોઈન્સના મોટા એક્સ્ચેન્જો પર દરોડા પાડવામાં આવ્યા હતા. બિટકોઈન્સનાં દરમાં તેજીનો ફુગ્ગો ફૂલ્યા પછી સરકારને ઈ- પોન્ઝી સ્કીમ જેવા કૌભાંડ થવાનો ડર હોવાથી તેજીને રોકવા માટે દરોડા પડાયા છે. બિટકોઈન્સનો ઉપયોગ કરીને લોકો કરચોરી ન કરે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. આઈટી વિભાગનાં બેંગ્લુરૂ એકમના વડપણ હેઠળ દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ, કોચી અને ગુરુગ્રામ સહિત બિટકોઈન્સનાં ૯ એક્સ્ચેન્જો ખાતે સરવેની કામગીરી હાથ ધરાઈ હતી.