કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવ્યા પછી કાગારોળ મચાવતાં પાકિસ્તાન દ્વારા શનિવારે વહેલી પરોઢિયે સાડા છ કલાકે એલઓસી પર કાશ્મીરનાં નૌશેરા – રાજૌરી સેક્ટરમાં ભારતની મોખરાની આર્મી પોસ્ટ અને સરહદનાં ગામોમાં અંધાધૂંધ ફાયરિંગ તેમજ ભારે મોર્ટારમારો કર્યો હતો. પાક.ને ભારત સામેનો આ અટકચાળો ભારે પડયો હતો. ભારતે વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો અને રાજૌરીમાં પાક.ની અનેક બોર્ડર પોસ્ટને ફૂંકી મારી હતી. ભારતનાં વળતા હુમલામાં પાક.નાં કેટલાક સૈનિક માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. પાક.નાં મોર્ટારમારામાં ભારતીય આર્મીના એક બહાદુર જવાન શહીદ થયા હતા. કાશ્મીર મુદ્દો પાક.નાં હાથમાંથી છીનવાઈ ગયા પછી છેલ્લા ત્રણ- ચાર દિવસથી પાક. દ્વારા બોર્ડર પર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. જો કે ભારતીય આર્મી દ્વારા પાક.ને તેની ભાષામાં જ જવાબ અપાઈ રહ્યો છે જેમાં ગુરુવારે ભારતે પાક.નાં ૪ જવાનોને ઢાળી દીધા હતા. આ પછી પાક. દ્વારા સરહદે છમકલાં કરવામાં આવી રહ્યા છે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવ્યા પછી કાગારોળ મચાવતાં પાકિસ્તાન દ્વારા શનિવારે વહેલી પરોઢિયે સાડા છ કલાકે એલઓસી પર કાશ્મીરનાં નૌશેરા – રાજૌરી સેક્ટરમાં ભારતની મોખરાની આર્મી પોસ્ટ અને સરહદનાં ગામોમાં અંધાધૂંધ ફાયરિંગ તેમજ ભારે મોર્ટારમારો કર્યો હતો. પાક.ને ભારત સામેનો આ અટકચાળો ભારે પડયો હતો. ભારતે વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો અને રાજૌરીમાં પાક.ની અનેક બોર્ડર પોસ્ટને ફૂંકી મારી હતી. ભારતનાં વળતા હુમલામાં પાક.નાં કેટલાક સૈનિક માર્યા ગયા હોવાનું જાણવા મળે છે. પાક.નાં મોર્ટારમારામાં ભારતીય આર્મીના એક બહાદુર જવાન શહીદ થયા હતા. કાશ્મીર મુદ્દો પાક.નાં હાથમાંથી છીનવાઈ ગયા પછી છેલ્લા ત્રણ- ચાર દિવસથી પાક. દ્વારા બોર્ડર પર યુદ્ધવિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. જો કે ભારતીય આર્મી દ્વારા પાક.ને તેની ભાષામાં જ જવાબ અપાઈ રહ્યો છે જેમાં ગુરુવારે ભારતે પાક.નાં ૪ જવાનોને ઢાળી દીધા હતા. આ પછી પાક. દ્વારા સરહદે છમકલાં કરવામાં આવી રહ્યા છે.