જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને આતંકવાદ મુદ્દે પોતાના વલણ અંગે દુનિયાને જવાબ આપી દીધો હતો. ભારતે ચીનના કિંગડાઓમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં આ વલણ જાળવી રાખ્યું છે. એસસીઓની બેઠકમાં આતંકવાદ મુદ્દે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. વધુમાં બેઠકના અંતે ચીન દ્વારા તૈયાર કરાયેલા નિવેદનમાં પહલગામ આતંકી ઘટનાનો કોઈ ઉલ્લેખ ન હોવાથી રાજનાથ ભડક્યા હતા. તેમણે એસસીઓના સંયુક્ત નિવેદનને નકારી કાઢ્યું હતું અને તેના પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો.