ભારતના જવાનોએ ૧૫ મહિનાના અંતરાલમાં ફરી એકવાર એલઓસી પાર કરીને પીઓકેનાં રાવલકોટ સેક્ટરમાં રાખચિકરી વિસ્તારમાં રવિવાર બપોરે અને સોમવારની રાત્રે બે દિવસના ઓપરેશનમાં પાકિસ્તાનનાં ૫ સૈનિકોને ઠાર કર્યા હતા. આ ઘટનામાં પાક.ના અનેક જવાન ઘવાયા પણ હતા. આમ આતંકીને આશ્રય આપતા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો અને શનિવારે પાકિસ્તાનના ફાયરિંગમાં શહીદ થયેલા ૪ ભારતીય જવાનોની શહાદતનો બદલો લીધો હતો.
ભારતના જવાનોએ ૧૫ મહિનાના અંતરાલમાં ફરી એકવાર એલઓસી પાર કરીને પીઓકેનાં રાવલકોટ સેક્ટરમાં રાખચિકરી વિસ્તારમાં રવિવાર બપોરે અને સોમવારની રાત્રે બે દિવસના ઓપરેશનમાં પાકિસ્તાનનાં ૫ સૈનિકોને ઠાર કર્યા હતા. આ ઘટનામાં પાક.ના અનેક જવાન ઘવાયા પણ હતા. આમ આતંકીને આશ્રય આપતા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો અને શનિવારે પાકિસ્તાનના ફાયરિંગમાં શહીદ થયેલા ૪ ભારતીય જવાનોની શહાદતનો બદલો લીધો હતો.