દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મા આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં 42 દેશો ભાગ લઈ રહ્યા છે. આ મંચનો ઉદ્દેશ્ય સભ્યોની વચ્ચે સમાન ઉર્જા બાબતે વધુમાં વધુ પારસ્પરિક સમજ અને જાગૃકતાને વધારો આપવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચને સંબોધન કરતાં સૌને સસ્તી અને શુલભ ઉર્જા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો.