-
ગુજરાતમાં 2003થી યોજાતી વાયબ્રન્ટ સમીટના માધ્યમથી ગુજરાતમાં અનેક નાના-મોટા રોકાણકારોએ ભાજપના શાસનમાં વિવિધ ક્ષેત્રે રોકાણ કર્યું છે. ભાજપ સરકાર દ્વારા તેમને જે તે સમયે રાહતો કે સહાયની ખાતરી આપવામાં આવી હશે એમ જણાવીને સૂત્રો કહે છે કે જો સત્તા પરિવર્તન થાય તો નવી કોંગ્રેસની સરકાર કે જે વાયબ્રન્ટ સમીટને બિનજરૂરી અને ભાજપના એક તમાશારૂપ માને છે ત્યારે સત્તા મળ્યા બાદ નવી સરકાર કુલ થયેલા એમઓયુમાંથી વાસ્તવમાં ક્યાં કેટલું રોકાણ આવ્યું તેની તપાસ હાથ ધરે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવા સમયે રોકાણકારોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે નવી સરકાર અગાઉની સરકારે રાહતો અને સહાયની ખાતરીઓ ચાલુ રાખશે કે કેમ. આમ ગુજરાતના પરિણામો પર વિવિધ રોકાણકારો અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે ઉદ્યોગપતિઓના ઉલ્લેખો કર્યા હતા તેઓ પણ પરિણામ પર બાજ નજર રાખે તેમ છે.
-
ગુજરાતમાં 2003થી યોજાતી વાયબ્રન્ટ સમીટના માધ્યમથી ગુજરાતમાં અનેક નાના-મોટા રોકાણકારોએ ભાજપના શાસનમાં વિવિધ ક્ષેત્રે રોકાણ કર્યું છે. ભાજપ સરકાર દ્વારા તેમને જે તે સમયે રાહતો કે સહાયની ખાતરી આપવામાં આવી હશે એમ જણાવીને સૂત્રો કહે છે કે જો સત્તા પરિવર્તન થાય તો નવી કોંગ્રેસની સરકાર કે જે વાયબ્રન્ટ સમીટને બિનજરૂરી અને ભાજપના એક તમાશારૂપ માને છે ત્યારે સત્તા મળ્યા બાદ નવી સરકાર કુલ થયેલા એમઓયુમાંથી વાસ્તવમાં ક્યાં કેટલું રોકાણ આવ્યું તેની તપાસ હાથ ધરે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવા સમયે રોકાણકારોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે નવી સરકાર અગાઉની સરકારે રાહતો અને સહાયની ખાતરીઓ ચાલુ રાખશે કે કેમ. આમ ગુજરાતના પરિણામો પર વિવિધ રોકાણકારો અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે ઉદ્યોગપતિઓના ઉલ્લેખો કર્યા હતા તેઓ પણ પરિણામ પર બાજ નજર રાખે તેમ છે.