જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કલામપોરામાં સેનાના જવાન રંગઝેબનાં અપહરણ પછી કરાયેલી હત્યા પાછળ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાની સંભાવના છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, કાશ્મીરની આઝાદી માટે જેહાદી પ્રવૃત્તિઓ કરી રહેલાં આતંકવાદી સંગઠનો સામે ભારતીય સેનાએ શરૂ કરેલાં ઓપરેશનોથી ધ્રૂજી ઊઠેલી આઈએસઆઈએ રંગઝેબનાં અપહરણ અને ઠંડા કલેજે હત્યા કરાવી હોવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કલામપોરામાં સેનાના જવાન રંગઝેબનાં અપહરણ પછી કરાયેલી હત્યા પાછળ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાની સંભાવના છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, કાશ્મીરની આઝાદી માટે જેહાદી પ્રવૃત્તિઓ કરી રહેલાં આતંકવાદી સંગઠનો સામે ભારતીય સેનાએ શરૂ કરેલાં ઓપરેશનોથી ધ્રૂજી ઊઠેલી આઈએસઆઈએ રંગઝેબનાં અપહરણ અને ઠંડા કલેજે હત્યા કરાવી હોવાની સંભાવના છે.