ઈસરોના કમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ- 6એ સાથેનો સંપર્ક તુટી ગયો છે. ગુરુવારે સાંજે સેટેલાઈટ લોન્ચ કરાયો હતો. ઈસરોનું કહેવુ છે કે, 29મી માર્ચના રોજ છોડવામાં આવેલા જીસેટ આર-6એ ઉપગ્રહ સાથે તેમનો સંપર્ક તુટી ગયો છે. તેમની સાથે ફરીથી સંપર્ક સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સેટેલાઇટના ઉપયોગથી ભારતીય સેનાની કોમ્યુનિકેશન તાકત વધારે મજબૂત બનશે.