રાજસ્થાનમાં કોંગ્રેસનેતા અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે મુખ્યપ્રધાન અશોક ગેહલોત સામે બળવાનો બૂંગિયો પોકાર્યો છે અને ગેહલોત તેમની સરકાર બચાવવા હવાતિયાં મારી રહ્યા છે ત્યારે આવકવેરા વિભાગ તેમજ ઈડી દ્વારા ગેહલોતનાં નિકટના મનાતા કોંગ્રેસના બે નેતાઓના ૨૪ સ્થળે સામૂહિક દરોડા પાડયા છે. કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને આમ્રપાલી જ્વેલર્સના માલિક રાજીવ અરોરા અને કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠોડની ઓફિસો અને નિવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જયપુર તેમજ કોટા, દિલ્હી, મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે બંને નેતાઓના ૨૪ સ્થળે આવકવેરા વિભાગના ૨૦૦ અધિકારીઓ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે.
રાજસ્થાનમાં કોંગ્રેસનેતા અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે મુખ્યપ્રધાન અશોક ગેહલોત સામે બળવાનો બૂંગિયો પોકાર્યો છે અને ગેહલોત તેમની સરકાર બચાવવા હવાતિયાં મારી રહ્યા છે ત્યારે આવકવેરા વિભાગ તેમજ ઈડી દ્વારા ગેહલોતનાં નિકટના મનાતા કોંગ્રેસના બે નેતાઓના ૨૪ સ્થળે સામૂહિક દરોડા પાડયા છે. કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને આમ્રપાલી જ્વેલર્સના માલિક રાજીવ અરોરા અને કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠોડની ઓફિસો અને નિવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જયપુર તેમજ કોટા, દિલ્હી, મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે બંને નેતાઓના ૨૪ સ્થળે આવકવેરા વિભાગના ૨૦૦ અધિકારીઓ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે.